મોરબી: મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ફરી બીજી નીલકંઠ સોસાયટીના લોકો પણ પાણી સહિતના પ્રશ્ને મોટી સંખ્યામાં રોડ ઉપર ઉતર્યા
Morvi, Morbi | Sep 17, 2025 મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ માંડ એક ચક્કાજામ હટયું ત્યાં તે જ જગ્યાએ બીજી નીલકંઠ સોસાયટીના લોકોએ પાણી પ્રશ્ને ચક્કાજામ શરૂ કરી દીધો હતો. જો કે એકાદ કલાકમાં જ મહાપાલિકા અને પોલીસ દ્વારા તેઓને સમજાવીને આશ્વાસન આપી મામલો થાળે પાડયો હતો.