ભરૂચના જલારામ ધામ સોસાયટી સ્થિત જગન્નાથ મંદિર પાસે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. ભરૂચ શહેરમાં સાંજ-સવાર ચારેય તરફ ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળતા હોય છે.ત્યારે આજરોજ સાંજના સમયે ભરૂચના જલારામ ધામ સોસાયટી સ્થિત જગન્નાથ મંદિર પાસે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.જેને પગલે વાહન ચાલકો અટવાયા હતા.તો બીજી તરફ આશ્રય સોસાયટીના સ્થાનિકોએ વાહન ચાલકો માટે ગેટ બંધ કરી દીધો હતો.