લીલીયા તાલુકાના ખારા ગામથી પાંચતલાવડા અને નાના કણકોટના પાટીયા સુધીનો રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામ માટે સરકાર દ્વારા અગાઉ મંજૂર કરેલી ₹16 કરોડની ગ્રાન્ટમાંથી ખર્ચ કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ માર્ગ વિકાસકાર્યનો ખાતમુહૂર્ત વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે કરવામાં આવ્યો. રોડ પહોળો થવાથી લોકોએ મુસાફરીમાં સુવિધા, સુરક્ષા અને ટ્રાફિકમાં રાહત મળશે.