આપ થી છેડો ફાડીને ગયેલા આપ પાર્ટીના નેતા કરસન ભદરકાએ ફરી રાજકીય પાર્ટીમાં ઝંપલાવ્યું છે. સોમવારે સુરતના કતારગામ દરવાજા ખાતે કોંગ્રેસની જનાક્રોશ યાત્રામાં ઉપસ્થિતિ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા ની હાજરીમાં તેઓએ કોંગ્રેસનો વિધિવત રીતે ખેંસ ધારણ કરી પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો.આ પ્રસંગે બાપુએ ભાજપ અને આપ સામે હુંકાર કરતાં જણાવ્યું હતું કે, ભાજપ આપ પાર્ટીનો વેપન તરીકે ઉપયોગ કરે છે. ખેડૂતોના નામે રાજકારણ કરવામાં આવે છે.