પંચમહાલ કલેક્ટર અજય દહિયા દ્વારા મતદારયાદી સુધારણા કાર્યક્રમની અગત્યતા વિશે નિવેદન. મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમને લઈ પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયાએ આ કાર્યક્રમની ગંભીરતા સમજાવી નાગરિકોને ખાસ અપીલ કરી છે.