ગત તારીખ 28/12 ના રોજ અંજારમાં દેવળીયા નાકા નજીક નજીવી બાબતે 65 વર્ષીય વૃદ્ધની હત્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો.જેથી આરોપીઓને સત્વરે પકડી પાડવા અંજાર પીઆઇ એ.આર.ગોહિલના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવી હ્યુમન સોર્સીસ દ્વારા ખુનને અંજામ આપનાર આરોપીઓ પૈકી બે આરોપીઓ ઈકબાલ નુરમામદ નોડે અને ઇલીયાસ નુરમામદ નોડેને ગણતરીના દિવસમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.આ ગુનામાં સામેલ આરોપીઓ અકરમ હુસૈન નોડે અને હુસૈન નુરમામદ નોડે હજુ પકડવાના બાકી છે.