પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ જિલ્લાના ઘોઘંબા તાલુકાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પ્રવાસ દરમિયાન તેમણે મોજે-રીંછવાણી, તા. ઘોઘંબાની તલાટી સામાન્ય દફતરની ખાસ તપાસણી કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ વહીવટી પારદર્શિતા અને રેકોર્ડની જાળવણી ચકાસવા માટે આ કાર્યવાહી હાથ ધરી હતી, જે પાયાના સ્તરે સરકારી કામગીરીની ગુણવત્તા જાળવવા માટે આવશ્યક છે. આ મુલાકાત માત્ર દફતર તપાસ પૂરતી સીમિત ન રહેતાં, કલેક્ટરશ્રી અજય દહિયાએ ગામના આગેવાનો અને પ્રજાજનો સા