જાફરાબાદના શિયાળબેટ ગામના લોકો પીપાવાવ પોર્ટમાં ચાલી રહેલી LPG જેટી માટેની ડ્રેજિંગ કામગીરીથી અસંતોષમાં છે. માછીમારોના બોયા દૂર કરાયા, જાળને નુકસાન, રોજગારી પર સંકટ અને ટાપુના અસ્તિત્વને ખતરો જેવા આક્ષેપો સાથે ગ્રામજનો અને MLA હીરા સોલંકી કલેકટર કચેરીએ પહોંચ્યા. ગ્રામજનોની માંગ છે કે ડ્રેજિંગ નિષ્ણાતોની દેખરેખમાં કરાય અથવા તાત્કાલિક રદ કરવામાં આવે, નહીં તો પોર્ટનું કામ અટકાવવાનો ચીમકાવો આપવામાં આવ્યો છે.