તળાજા: તળાજા નજીક હિટ એન્ડ રનનો બનાવ: અજાણ્યા વાહનની ટક્કરથી યુવાનનું મોત
મળતી માહિતી મુજબ, અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોટડી ગામના રહેવાસી રમેશભાઈ બાંભણીયા સુરતથી પોતાના વતન પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તળાજા નજીક લાંગડી ગામ પાસે જનકપુરી વિદ્યાલયથી આરાધ્યા હોટલ વિસ્તારમાં પહોંચતા અજાણ્યા વાહનચાલકે તેમને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રમેશભાઈને માથા, હાથ અને શરીરના ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.