પાલીતાણા શહેરમાં દૂષિત પાણી અને ગટર ઉભરાવાની સમસ્યાને લઈ લોકોમાં રોષ.પાલીતાણા શહેરમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પીવાનું પાણી અને ગટર ઉભરાવાની સમસ્યા ગંભીર બનતાં નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે. વોર્ડ નં. 3, 5, 7 સહિત અનેક વિસ્તારોમાં પીવાના પાણીમાં ગટરનું મિશ્રણ આવી રહ્યું હોવાથી લોકો પાણીજન્ય રોગો થવાની ભીતિ છે, આ અંગે અનેક રજૂઆતો છતાં નગરપાલિકાએ કોઈ સકારાત્મક પગલા ન લેતા સ્થાનિકો રોષ જોવા મળ્યો.