કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાના નામમાં કરવામાં આવેલા ફેરફારના વિરોધમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી 10 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી વિવિધ સ્તરે આંદોલનાત્મક કાર્યક્રમો યોજાશે. આ અંતર્ગત ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને પ્રદેશ સ્તરે વિરોધ પ્રદર્શન કરી યોજનાના લાભાર્થીઓને પત્રિકા વિતરણ દ્વારા જાગૃત કરવામાં આવશે. કોંગ્રેસ પક્ષ આ કાયદાકીય ફેરફાર સામે મક્કમતાથી લડત આપી લોકોની સાથે ઉભા રહેવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે.