કાલોલ નગરમાં સમસ્ત મારવાડી સમાજ અને રામદેવ યુવક મંડળ દ્વારા દર વર્ષે રામાપીર મહારાજના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.વિષ્ણુ ભગવાનના અવતાર ગણાતા રામદેવપીર મહારાજનો મહા સુદ અગિયારસ પ્રાગટ્ય દિવસ ગણાય છે.જે અંતર્ગત આજરોજ કાલોલ શહેરના સમસ્ત મારવાડી સમાજ અને રામદેવ યુવક મંડળ ના યુવાનો દ્વારા ઈન્દિરા નગર તળાવ વિસ્તારમાંથી ડીજેના તાલે ધામધૂમથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.