ભાવનગર શહેરના તલાવડી વિસ્તારમાંથી કુંભારવાડા તરફ જવાના રોડ પર આવતા રેલવે ફાટક વારંવાર બંધ થતું હોવાથી કારણે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે, આ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ એરીયા આવેલો હોય જેના કારણે મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે જ્યારે વારંવાર રેલવે ફાટક બંધ થઈ જવાના કારણે વાહનો અટવાઈ જતા હોય છે અને ટ્રાફિક જામ સર્જાય છે તેના વિસ્તારમાં ઓવરબ્રિજની માંગ ઉઠી છે.