કેશોદ શહેરમાં લૂંટની એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરના દાતારિયા હનુમાન મંદિર પાસે, પીપલિયાનગર વિસ્તારમાં એક યુવાનને ધમકી આપી રોકડ રકમ લૂંટી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.પીપલિયાનગરમાં રહેતા મીત રાજુભાઈ શિંગાળાને કાળા કલરની સ્કોર્પિયો ગાડીમાં આવેલા શખ્સોએ રોકી ધોકા, લોખંડની પાઈપ અને છરીની અણીએ ધમકાવી અંદાજે રૂ. 8,900 જેટલી રોકડ રકમ લૂંટી લીધી હતી. અચાનક બનેલી આ ઘટનાથી વિસ્તારમાં ભય અને ચકચાર ફેલાઈ ગઈ હતી.