હાલોલ ખાતે આવેલ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં ‘આંતરરાષ્ટ્રીય નેચરલ ફાર્મિંગ, નેચરોપેથી, યોગ, ધ્યાન અને આરોગ્ય પરિષદ’નું આયોજન આજે શનિવારના રોજ કરવામાં આવ્યું હતું.આ આંતરરાષ્ટ્રીય પરિષદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં પ્રાકૃતિક કૃષિ, સ્વસ્થ જીવનશૈલી અને આરોગ્યપ્રધાન અભિગમને પ્રોત્સાહન આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.