તા. 03 ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસ છે. તેના ભાગરૂપે આજરોજ તા. 02/12/2025, મંગળવારે સવારે 11 વાગે ધોળકા ખાતે રાજપૂત બોર્ડિંગમાં અંધજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ અબે એસ્ટ્રલ ફાઉન્ડેશનના સહયોગથી ચાલતા સંજીવની પ્રોજેક્ટ દ્વારા ધોળકા તાલુકાના વિવિધ ગામોના દિવ્યાંગ વ્યક્તિઓ અને બાળકોને ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના હસ્તે સાધન સહાય અર્પણ કરવામાં આવી હતી.