ગોધરા શહેરના લુણાવાડા રોડ પર આવેલ એસઆરપી ગ્રુપ-5માં રહેતા 39 વર્ષીય ગુલાબસિંહ મોહનસિંહ તાવિયાડનું લકવાની બીમારી બાદ સારવાર દરમિયાન અવસાન થયું હતું. તા. 24 ફેબ્રુઆરીના રોજ તેમને અચાનક લકવો આવતા અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તા. 2 માર્ચના રોજ તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા પોલીસકર્મી મનુસિંહ રામસિંહે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે અકસ્માતે મોત અન્વયે ફરિયાદ નોં