સરખેજ ગામની સીમમાં ગૌચરની જમીનમાંથી મહિલાની ગળું કાપેલી લાશ મળી આવી. કઠલાલના પાણીની ટાંકી પાસે આવેલા વણજારાવાસ વિસ્તારમાં રહેતા એક બાવન વર્ષીય મહિલાની રહસ્યમય સંજોગોમાં હત્યા કરાયેલી લાશ મળી. મૃતક ભાવનાબેન પ્રતાપસિંહ ડાભી રહે. વણજારાવાસ, કઠલાલ ૦૬/૦૧/૨૦૨૬ના રોજ બપોરના આશરે બારેક વાગ્યાના સુમારે કોઈ કામ અર્થે બહાર નીકળ્યા હતા.