રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ના ઉપક્રમે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ–દેવરાજનગર દ્વારા પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. મકરસંક્રાંતિ પૂર્ણ થયા બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ પર પડેલી પતંગની દોરી અને પતંગ એકત્ર કરી તેનો નાશ કરવામાં આવ્યો. પશુ-પંખીઓને દોરીથી થતી ઇજાઓ અટકાવવા અને જાહેર માર્ગોને સુરક્ષિત બનાવવા હેતુથી વિદ્યાર્થિનીઓએ સક્રિય ભાગ લીધો હતો.