ભાવનગરના બગદાણાના સેવકને માર મારવાના મામલે તટસ્થ તપાસ માટે ભાવનગર રેન્જના આઇજી ગૌતમ પરમારે SITની રચના કરી છે. અગાઉ આ કેસની તપાસ મહુવા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. પટેલ દ્વારા કરવામાં આવી રહી હતી, પરંતુ હવે sit દ્વારા તપાસ કરવામાં આવશે..SITની અધ્યક્ષતા અમરેલી ધારીના ASP જયવીર ગઢવી કરશે. ટીમમાં બોટાદ SOGના PI એમ.જી. જાડેજા, રેન્જ કચેરીના PSI પી.જે. વાળા તેમજ બોટાદ LCBના હેડ કોન્સ્ટેબલ નો સમાવેશ થાય છે