સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, પાલિતાણાની સેમેસ્ટર-6ની પાંચ વિદ્યાર્થિનીઓએ સાવરકુંડલામાં યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના 35મા ત્રિદિવસીય જ્ઞાનસત્રમાં ભાગ લીધો. કૉલેજના ગુજરાતી વિભાગના પ્રાધ્યાપકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને પ્રખ્યાત સર્જકો અને અભ્યાસુ વક્તાઓને પ્રત્યક્ષ સાંભળવાનો અવસર મળ્યો.સાહિત્યવિષયક વિચારપ્રેરક ચર્ચાઓથી ભરપૂર આ જ્ઞાનસત્ર વિદ્યાર્થીઓ માટે સ્મરણીય અને પ્રેરક સાબિત થયું.