સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના મોટી મજેઠી ગામે ગંદકીની સમસ્યાથી રહીશો ત્રાહિમામ થયા છે ત્યારે આ બાબતે ઘણા સમયથી તંત્રને રજુઆત કરવા છતાં હજુ સુધી કોઈ નિરાકરણ ના આવતા લોકોએ મીડિયાને પોતાની સમસ્યા તંત્ર સમક્ષ મુકવા માટે મદદ લીધી હતી ત્યારે આટલી નરી ગંદકી વચ્ચે રહેતા લોકોને ગંદકીથી નિજાદ ક્યારે મળશે ? તેવો પ્રશ્ન ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવ્યો ત્યારે આ બાબતે વારંવાર તંત્રને રજુઆત કરવા છતાં પણ સમશ્યા હલ ના થતા લોકો રોષે ભરાયા હતા.