વધુ એક અપમૃત્યુનો બનાવ મોટા કાંડાગરામાં બન્યો હતો, જ્યાં આઈકૃપા લેબર કોલોનીમાં રહેતા અજયપ્રસાદ નામના યુવકે કોઈ અગમ્ય કારણે પોતાના ઘરે જ લોખંડના સળિયામાં ગમછા બાંધી ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. આ યુવકે કયા કારણે અંતિમ પગલું ભર્યું તે જાણવા સહિતની તપાસ મુંદરા પોલીસે હાથ ધરી છે.