હાલોલ: હાલોલમાં છઠ પૂજાની ઉજવણી આનંદ ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી
હાલોલ પંથકમાં પણ છઠ પૂજાની ઉજવણી કરવામાં આવી હતી.દિવાળી પછી આવતી કારતક સુદ છઠનું ઉત્તર ભારતીય સમાજમાં ધાર્મિક મહત્વ વિશેષ છે.મનવાછીત ફળ પ્રાપ્ત કરવા માટે પરિણીત મહિલાઓ ચાર દિવસનું વ્રત કરે છે.જેમાં સૂર્યનારાયણ અને છઠ્ઠી દેવીની પૂજા કરવામાં આવે છે.જેને લઇને સોમવારે સાંજે અને મંગળવારે વહેલી સવારે હાલોલ પાવાગઢ રોડ પર આવેલ સિંધવાવ માતાના મંદિર નજીક આવેલ તળાવ ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ હતી અને છઠની પૂજા અર્ચના કરી પ્રાર્થના કરી હતી