મહુવા: જાદરા ગામે મધમાખીઓનો હુમલો, મજૂરો ઘાયલ
મળતી માહિતી મુજબ, જાદરા ગામે ખેતરમાં મજૂરી કામ કરી રહેલા મજૂરો બપોરના સમયે વિરામ લેવા માટે એક ઝાડ નીચે બેઠા હતા. એ દરમિયાન અચાનક ઝાડ પરથી મધમાખીઓનું ઝુંડ ઉડી નીકળ્યું અને મજૂરો પર તૂટી પડ્યું. મધમાખીઓના આ હુમલામાં આશરે આઠ થી દસ જેટલા મજૂરોને કરડવામાં આવ્યા હતા, જેના કારણે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.