નૂતન વર્ષ અને ભાઈબીજ ના દિવસે પણ અડાજણ સ્થિત baps મંદિરમાં હરિભક્તોની હાજરી જોવા મળી હતી.ગુરુવારે પણ ભક્તોએ ભગવાન સ્વામિનારાયણ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.જ્યારે નવું વર્ષ સૌ કોઈ માટે મંગલકારી નીવડે તે માટેની કામના અને પ્રાર્થના સાથે સંતો મહંતો ના આશીર્વાદ મેળવ્યા હતા.સંતોના આશીર્વાદ મેળવવા ભક્તોની લાંબી કતારો મંદિર પરિસરમાં જોવા મળી હતી.