વાંકાનેર શહેરમાં ગૌરવપથ તરીકે ઓળખાતા જડેશ્વર રોડથી રાજકોટ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર સુધીના રસ્તાના રિસર્ફેસિંગ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ ડિમ્પલબેન સોલંકી, ઉપપ્રમુખ હર્ષિત સોમાણી, નગરસેવક બ્રિજરાજસિંહ, અમિત સેજપાલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.