આજરોજ મીડિયા સમક્ષ બજેટ અંગે પ્રતિક્રિયા આપતા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યુ કે આજે સંસદમાં રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ 2026માં સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ તથા દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં રોજગારીને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે ખાસ કરીને ટુરિઝમમાં અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. બજેટને આવકારીને પ્રમુખે વધુમાં જણાવ્યું કે કચ્છવાસીઓને વધુમાં વધુ રોજગારી મળશે.