જામનગરના રજવાડું ધ વિલેજ ખાતે "હાલાર યુનિવર્સિટી"ના પ્રોજેક્ટ અંગે પત્રકાર પરિષદ યોજાઇ, જામનગર ખંભાળિયા હાઇવે પર હાલાર યુનિવર્સિટીનું નિર્માણ કરવામાં આવશે. હાલારના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના અભ્યાસક્રમો માટે અન્ય જિલ્લાઓમાં જાવું ન પડે તે માટે થઈને હાલાર યુનિવર્સિટીનું નિર્માણ કરવામાં આવશે. આ તકે રાજેશભાઈ ગાંધી, ભાવેશભાઈ વ્યાસ સહિતના મહાનુભાવો દ્વારા હાલાર યુનિવર્સિટી અંગે વિગતો આપવામાં આવી હતી.