ગોધરા તાલુકાના ગઢ ગામના 76 વર્ષીય પ્રતાપસિંહ નારસિંહ પટેલ 19 ઓક્ટોબરના બપોરે પોતાના ઘરેથી કોઈને જાણ કર્યા વિના બહાર ગયા બાદ ગુમ થયા છે. પરિવારજનોએ શોધખોળ કર્યા છતાં કોઈ માહિતી ન મળતાં, તેમના પૌત્ર ગણપતસિંહ રમેશભાઈ પટેલે ગોધરા તાલુકા પોલીસમથકે જાણવાજોગ નોંધાવી છે. પોલીસે ગુમશુદગીની નોંધ લઈને જરૂરી તપાસ શરૂ કરી છે.