પાલીતાણામાં સરકારી નોકરીની તૈયારી કરતા ભરવાડ સમાજના યુવાનોને યોગ્ય માર્ગદર્શન મળે તે હેતુસર શ્રી ભરવાડ સમાજ શૈક્ષણિક ગ્રુપ ગોપાલધામ દ્વારા આયોજિત વાંચન વર્ગ લાયબ્રેરીનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં રોહિશાળા ઠાકર દુવારા ના મહંત શ્રી રાજુબાપુ તથા ગોપાલધામ ના મહંત શ્રી વિષ્ણુબાપુ સહિત સમાજના આગેવાનોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું.