આર્થિક ગુન્હા નિવારણ શાખાએ દિલ્હીથી ઠગની ધરપકડ કરી છે.આરોપી સંજય મિશ્રાએ રાંદેરમાં 49 થી પણ વધુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પ્રધાનમંત્રી તેમજ મુખ્યમંત્રી આવાસ ડ્રો કર્યા વિના ફાળવી આપવાના નામે રૂ.60.21 લાખ જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી. છતાં મકાનો ની ફાળવણી કરાવવામાં આવી નહોતી. ભોગ બનેલા લોકોએ રાંદેર પોલીસમાં ફરિયાદ આપી હતી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જે ગુનાની તપાસ ઇકો શેલને સોંપવામાં આવી હતી.ફરાર સંજય મિશ્રાની દિલ્હી ઝડપાયો હતો.