ભાવનગરમાં રેલવે ખાતે સ્વચ્છતા અભિયાન અંગે પત્રકાર પરિષદ યોજાઈ.વેસ્ટર્ન રેલવે ભાવનગર મંડળ દ્વારા “સ્વચ્છતા હી સેવા”, “સ્વચ્છતા પખવાડિયા” અને “અમૃત સંવાદ” અભિયાન અંતર્ગત ડી.આર.એમ. કચેરી, ભાવનગર પરા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ સ્વચ્છતા અને જનજાગૃતિના વિવિધ ઉપક્રમોની માહિતી આપી. ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.