આજે તારીખ 26/10/2025 રવિવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં લાભ પંચમના પાવન અવસર પર સિંગવડ તાલુકાના મોટા આંબલિયા ગામે ગોપાળભાઈ મગનભાઈ બારીયાના નિવાસ સ્થાને શ્રદ્ધાભેર આનંદ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ધાર્મિક કાર્યક્રમમાં સાસંદ જસવંતસિંહ ભાભોર સાહેબે ખાસ ઉપસ્થિત રહીને આરતીમાં ઉપસ્થિત રહ્યા.આ પ્રસંગે ગામના આગેવાનો, ભક્તજન તથા ગ્રામજનો હાજર રહેતા ધાર્મિક માહોલ સર્જાયો હતો.