ભાલપંથકના મિતલી ખાતે ગોલાણા જીલ્લા પંચાયત સદસ્ય તથા સરપંચ રણછોડભાઈ જાદવના ઘરે નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો.જ્યાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સહીત ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ અને હોદેદારો પધાર્યા હતા.જે દરમ્યાન કેબિનેટ મંત્રી, ધારાસભ્ય અને મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.જેમાં આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, આણંદ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાબા સિંધા પણ હાજર રહ્યા હતા.