પાટડી ખાતે અંબિકા નગર સોસાયટી, જીન રોડ પાસે પાટડી નગર સમસ્ત શ્રી રામચરિત માનસ રામ કથા નું આયોજન કરવા માં આવ્યું છે. આજ રોજ શ્રી દરિયાલાલ મંદિર થી પોથી યાત્રા નીકળી કથા સ્થળ ઉપર પહોંચી હતી.૯ દિવસ ચાલનાર કથા નો સમય દરરોજ બપોરના ૨-૩૦ થી ૫-૩૦ કલાક સુધી રાખવા માં આવ્યો છે. યુવા વક્તા પ્રવીણ મહારાજ દ્વારા વ્યાસપીઠ ઉપર થી પોતાની આગવી શૈલી માં કથા નું સુંદર રસ પાન કરાવી રહ્યાં છે.પ્રથમ દિવસે જ મોટી સંખ્યા માં શ્રોતાજનો કથા નું રસપાન કરવા ઉમટી પડ્યાં હતાં