દસાડા તાલુકાના પાટડી માં આવેલ સરકારી હોસ્પિટલ ખાતે અજાણ્યા વ્યક્તિને દાખલ કરવામાં આવ્યો હતો જે બાદ હોસ્પિટલના સ્ટાફ દ્વારા માનવ સેવા ટ્રસ્ટના લોકોને ફોન જાણ કરી હતી જે બાદ અજાણ્યા વ્યક્તિની પૂછપરછ કરતા તેઓ બિહારના ભટોટર ચકલા પુણીયા ના હોવાનું માલુમ પડતા પરિવારજનોને જાણ કરી અને સોશિયલ મીડિયાના માધ્યમથી પાંચ મહિના બાદ તેઓના પરિવારજનો સાથે મિલન કરી માનવતા મહેકાવી હતી.