વોર્ડ નંબર 11માં આવેલ જીવરાજ પાર્ક નજીકની સોસાયટીના રહેવાસીઓ ગંદકીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. આ અંગે આજે સાંજે 5:30 વાગ્યાની આસપાસ સોસાયટીના પ્રમુખે નિવેદન આપતા જણાવ્યું હતું કે,આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઉપરાંત તેઓએ તંત્ર દ્વારા આ અંગે તાકીદે કામગીરી કરવામાં આવે અને તેમને આ સમસ્યાઓમાંથી મુક્તિ અપાવવામાં આવે તેવી માગણી કરી હતી.