તળાજા: તળાજામાં વડ સાવિત્રી પર્વની આસથાભેર ઉજવણી કરવામાં આવી
તળાજા શહેરના ઐતિહાસિક ભીડભંજન મહાદેવ મંદિરે વડસાવિત્રી પર્વ નિમિત્તે શ્રદ્ધા, ભક્તિ અને ધાર્મિક ભાવનાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં સુહાગિન મહિલાઓ મંદિરે પહોંચી ભગવાન મહાદેવના દર્શન કરી તેમજ વડવૃક્ષની વિધિપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. પરંપરાગત રીતિ-રિવાજ મુજબ મહિલાઓએ વડવૃક્ષની પ્રદક્ષિણા કરી, કાચો દોરો વીંટાળ્યો અને પોતાના પતિના દીર્ઘાયુષ્ય, સુખ-સમૃદ્ધિ તથા પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. મંદિર પરિસરમાં દિવસભર