રવિવારે સુરત એંથમ સર્કલ ભક્તિબાગ ખાતે ભવ્ય શાકોત્સવ યોજાયો.ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા યોજાયેલા શાકોત્સવમાં 1.50 લાખ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો.દિવ્ય શાકોત્સવમા લાલજી મહારાજ, વૈષ્ણવ સંપ્રદાયના યુવરાજ કુમાર, મહામંડલેશ્વર ભારદ્વાજ મહારાજ ઉપસ્થિત રહ્યા.શાકોત્સવની પૂર્વ સંધ્યાએ ભક્તો દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઇ હતી.બે હજારથી વધુ સ્વયંસેવકોએ વ્યવસ્થા સંભાળી હતી.12 હજાર કિલો બાજરાના લોટના રોટલા તૈયાર કરાયા.20000 કિલો રીંગણાંનાં શાક તૈયાર કર્યું હતું.