જામનગરની જી.જી.હોસ્પિટલના ૭૩ નર્સીંગ કર્મચારીની આખરે બદલી કરવામાં આવી છે. ૨૩ જૂનના કર્મચારીઓની બદલીનો આદેશ મોકૂફ રાખવામાં હોસ્પિટલના કર્મચારીઓમાં તરેહ-તરેહની ચર્ચા વચ્ચે અનેક સવાલ ઉઠ્યા હતાં. કર્મીઓની બદલીનો હુકમ ચાર મહીના પછી કરવામાં આવ્યો છેે. નવા આદેશમાં નિયત પ્રોટોકોલ, પીએમજેવાય ઇન્સેન્ટીવની ગાઇડલાઇન મુજબ આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે પુન: કર્મચારીની બદલીનો મુદો ચર્ચાનો વિષય બન્યો છે.