ગાંધીનગર: મહાત્મા મંદિર નજીક સિમેન્ટ મિસરની ટક્કરે એકટીવા ચાલકનું મોત
આ હિટ એન્ડ રનમાં ગાંધીનગર કોર્ટમાં સ્ટેનોગ્રાફર તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ રાઠોડનું મોત થયું છે. તેઓ એક્ટિવા લઈને મહાત્મા મંદિર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ટ્રકે તેમને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે દિનેશભાઈ રોડ પર પટકાયા અને ટ્રકનું ટાયર તેમના માથા પરથી ફરી વળ્યું હતું.જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું છે.