ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારના રાજવી ફાટકથી ભારતનગર તરફ જતા રેલ્વે સમાંતર રસ્તાની બાજુમાં મહાનગરપાલિકાના રસ્તા પર પાણી ભરાવવાની તેમજ ખરાબ હાલત બાબતે કમિશનરને વારંવાર ફરિયાદ મળેલ જેના અનુસંધાને, આ વિસ્તારની સ્થળ મુલાકાત મનપાના નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ, પાણી પુરવઠા વિભાગ અને ઇન્જિનીયરીંગ વિભાગની ટીમ દ્વરા લેવામાં આવી હતી. દબાણકારોને મહાનગરપાલિકા દ્વારા નોટીસ પાઠવવામાં આવેલ છે.