વાંકાનેર તાલુકામાં દિઘલીયા-શેખરડી વચ્ચેના ૩.૫ કિલોમીટર ગ્રામ્ય માર્ગનું નવીનીકરણ કાર્ય બુધવારે પૂર્ણ થયું છે. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા આ માર્ગના રીસર્ફેસિંગ પાછળ અંદાજે રૂ. ૧૨૦ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ કામગીરી પૂર્ણ થતા વાહન વ્યવહાર પૂર્વવત શરૂ કરી દેવાયો છે.