મહુવા: ઉમણીયાવદર ચોકડી પાસે હાઇવે પર કટ મુકવાની માંગ: પ્રાંત અધિકારીને આવેદનપત્ર
ઉમણીયાવદરની ચોકડી પાસે આવેલા હાઇવે પર કટ મુકવાની માંગ સાથે ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હાલના સમયમાં હાઇવે પર સીધો પ્રવેશ ન હોવાથી લોકોને લાંબો ફેરો ફરવો પડે છે, જેના કારણે અકસ્માતોના બનાવો બનવાની શક્યતા વધી રહી છે.