સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોના આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તથા સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે સતત કડક દેખરેખ રાખવામાં આવે છે. જે અન્વયે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તથા ફૂડ સેફ્ટી ઓફિસર (FSO)ની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ, લારી-ગલ્લા તથા નાના ફૂડ આઉટલેટ્સ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી.