આણંદ ખાતે તા.૨૪ મી જાન્યુઆરીના રોજ ધીરુબહેન પટેલની જન્મશતાબ્દી નિમિત્તે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાશે.ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી ભીખાભાઈ પટેલ આર્ટ્સ કોલેજ, આણંદના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ ૨૪ મી જાન્યુઆરી, ૨૦૨૬ ને શનિવારના રોજ ‘ધીરુબહેન પટેલ : શતાબ્દી વંદના’ વિષય પર એકદિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે.