ચુડા: ચુડા તાલુકા ના છલાળા ગામે દર વખતે વરસાદ બાદ રસ્તા પર ના પાણી નિકાલ અભાવે નરકાગાર જેવી સ્થિતિ લોકો પરેશાન થઈ રહ્યા છે.
ચુડા તાલુકા ના સામાજિક આગેવાન યુવરાજસિંહ સિંધવે તા 2 નવેમ્બર સાંજે 5:30 કલાકે ગ્રામજનો સાથે ગામની વર્તમાન સ્થિતિ સંદર્ભ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગામમાં સામાન્ય વરસાદી પાણી ના નિકાલ ની સુવિધા ન હોય ગામમાં મુખ્ય માર્ગો પર ઠેર ઠેર કાદવ કિચડ અને ઠેર ઠેર ગંદકી નુ સામ્રાજ્ય જોવા મળે છે ગામ લોકો એ ગામમાં નરકાગાર જેવી સ્થિતિ ને લઈ રોગચાળા ની દહેસત વ્યક્ત કરી હતી.