ગાંધીધામમાં સંકેતનિધિ આંગડીયા પેઢીના સંચાલકનું અપહરણ કરી પૈસા પડાવવાના ગુનામાં નાસતા ફરતા બે રીઢા આરોપીઓને એ-ડિવીઝન પોલીસે ઝડપી પાડયા છે. ગત જુલાઈ માસમાં હથિયાર બતાવી સંચાલકનું અપહરણ કરાયું હતું. પોલીસે આરોપી તુશાંત ઉર્ફે સુરજ ઉર્ફે ટાઈગર લેખરાજ વાસુને દિલ્હીની જેલમાંથી અને આકાશસિંહ નિરંજનસિંહ સેંગરને રાજસ્થાનની જેલમાંથી કબ્જે કરી ધરપકડ કરી છે.