ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આવેલા માનવ ટ્રસ્ટ સંચાલિત મંદબુદ્ધિ અને મનોદિવ્યાંગ આશ્રમ ખાતે મૌલા ઇમામ હુસૈનની વિલાદત (જન્મજયંતી) નિમિત્તે એક સ્નેહસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉદ્યોગપતિ મુન્નાભાઈ વરતેજી અને તનવીરભાઈ નાયાણી સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી દિવ્યાંગ ભાઈઓ સાથે સંવાદ સાધ્યો હતો અને તેમના માટે ભોજનની વ્યવસ્થા પણ કરી હતી.